11 September 2014

Manish Malhotra enters fine jewellery designing

After serving the fashion world with the best of costumes, ace designer Manish Malhotra now forays into jewellery designing. He says that he is doing this to "mark another milestone in the world of design".
He has joined hands with Forevermark, the diamond brand from the De Beers Group, for its new collection.
As part of his collaboration, he has launched a pair of bridal chandelier earrings under the expertise of Anmol Jewellers.
The inspiration behind the earrings was his interpretation of the vintage opulence of the well-travelled aristocracy of the 1930s and 1940s, said a statement.
"A promise holds deep value in my heart. As an Indian designer it's my prerogative to explore our culture and heritage and my promise is to promote the rich traditions of art and design in our country," said Malhotra.
"By associating with Forevermark, I want to mark another milestone in the world of design, keeping my promise alive," he added.
Crafted with Forevermark teardrop diamonds, the pair of chandelier earrings took two months to come to fruition, featuring 56 diamonds.
Sachin Jain, president, Forevermark India, said: "Forevermark prides itself on working with experts who are as passionate about their area of expertise as we are about diamonds.
"Manish Malhotra is undoubtedly one of the world's great fashion talents and we are honoured that he has chosen to work with Forevermark diamonds for his first fine jewellery piece."
 Source:https://in.celebrity.yahoo.com/news/manish-malhotra-enters-fine-jewellery-designing-110008639.html

Bluestone -Ratan Tata buys into e-jewellery company

MUMBAI: Ratan Tata has made a personal investment in online jewellery retailer Bluestone as the former Tata Group chairman scales up his exposure to India's red hot e-commerce sector which has attracted a steady stream of investor money. Tata, 73, now chairman emeritus of Tata Sons, the holding company of the $100-billion steel-to-software Indian conglomerate, has subscribed to fresh shares of the three-year-old e-commerce player which sells jewellery targeted at women buyers.

The size of Tata's investment could not be ascertained by TOI. He joins a list of pedigree angel investors and venture capital firms backing the Bangalore-based company founded by IIT graduate Gaurav Singh Kushwaha and Vidya Nataraj, and seed-funded by the serial entrepreneur duo Meena Ganesh and K Ganesh.

Tata made his maiden e-commerce investment last month when he picked up a small stake in Snapdeal by buying out an early investor, first reported by this newspaper. His latest move is interesting considering Tata Group's brand Tanishq emerged as a billion-dollar jewellery retailing enterprise under his watch.

"An investment by Ratan Tata who has been at the helm of India's most successful and respected conglomerate is a validation of our approach in building an innovative brand that is disrupting the jewellery market," Bluestone's Kushwaha told TOI. Bluestone is a vertically integrated online jeweller with its own manufacturing, designs and delivery functions which competes with the likes of Caratlane .com, which is backed by Tiger Global. Venture Capital funds Accel Partners, Kalaari and Saama Capital are Bluestone's existing investors.

"Bluestone is targeting the modern Indian woman aged between 20 to 50 years, with contemporary designs and a huge choice of designs. It offers one lakh designs and has a one-week delivery schedule," Ganesh, a co-promoter, said. "It's a classic case how internet and technology is transforming a traditional capital-intensive industry with just-in-time inventory model," he said. The online jewellery store is expected to have clocked around Rs 60 crore in sales.

Online jewellery is poised to be one of the fastest growing segments in India's e-commerce market which is projected to become an $8-billion industry in the next two years. The current share of online sales in the $50-billion domestic jewellery market is 0.5%, providing it with big headroom to ride the wave of internet consumerism. India's e-commerce boom is set to spawn several deep-domain specialists even as Flipkart, Amazon and Snapdeal dominate the horizontal play.

"Tata's coming on board is a huge endorsement for the opportunity that Bluestone enjoys going forward. Having him as a mentor and getting access to someone of his stature will help the team learn immensely business-wise as well," said Vani Kola, MD, Kalaari Capital, which led a $10-million investment in the e-tailer of curated jewellery earlier this year. Interestingly, Kalaari Capital is also an early investor in Delhi-based e-commerce player Snapdeal.

Higher merchandise value, hefty margins and low inventory costs make online jewellery a better prospect in an otherwise bleeding e-commerce sector. In the US, Nasdaq-listed Blue Nile, a specialty online retailer of diamonds and fine jewellery with a market value of about $350 million, competes with retail chains like Tiffany & Co and James Allen.

10 September 2014

KANTI BHATT ABOUT GOLD IN DIVYA BHASKAR -સોનાનો ઔષધિય,બ્યુટી ટ્રીટમેન્ટ માટે અનોખો ઉપયોગ

સોનાનો ઔષધિય,બ્યુટી ટ્રીટમેન્ટ માટે અનોખો ઉપયોગ
પીળી ધાતુ - વિશ્વના તમામ દેશોમાં સોનું મધ્યમ કે ગરીબ વર્ગ માટે સંકટ સમયની સાંકળ છે તો શ્રીમંતોમાં મોભાનું પ્રતીક છે

કવિ ગેટેએ બરાબર ૧૯૦ વર્ષ પહેલાં ૨પ-૨-૧૮૨૪ના કહેલું કે 'સમય એ બહુ જ વિચિત્ર 'બદમાશ’ છે. સમય બહુ જ બેઢંગો છે. તેના ચહેરા-મહોરા દરેક સદીમાં જુદા હોય છે.’ જ્યારે ભારત પાસે અઢળક સોનું હતું ત્યારે મોગલો, મરાઠાઓ, અંગ્રેજો તમામ આપણને લૂંટતા હતા. આજે ભારતની ઓફિશિયલ તિજોરીમાં સૌથી ઓછું એટલે ૧૦ દેશોમાં સૌથી ઓછું સોનું છે. જગતભરનો લુટારો દેશ અમેરિકા કુલ્લે ૮૧૩૩.પ ટન સોનું ઓફિશિયલી ધરાવે છે. ધારો કે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું વધી જાય તો આ ૮૧૩૩ ટન સોનામાંથી એક રત્તીભાર નહીં વેચે અને હાથ ઊંચા કરી દેશે. ચીન જે ગરીબમાં ગરીબ હતું તેની પાસે બહુ ઓછું સોનું હતું અને માઓત્સે તુંગ સોનાને ધિક્કારતા. આજે તેનું સોનાનું પૂતળું છે અને જગતમાં અમેરિકા પછી જર્મનીમાં અને સોનામાં બીજે નંબર ૩૩૯૧.૩ ટન સોનું ધરાવે છે.

ઈટાલી અને ફ્રાંસ પછી ચીન આજે ૧૦પ૪ ટન સોનું તેની સામ્યવાદી તિજોરીમાં ધરાવે છે અને ભારત? સૌથી સમૃદ્ધ દેશ જેનું સોનું ચારેકોરથી લુટાતું હતું તેની પાસે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મને આજે મળ્યા તે પ્રમાણે પપ૭.૭ ટન સોનું છે. પણ આપણા ભગવાનો અને મંદિરો ડાહ્યા છે કે અમેરિકા અને આખી દુનિયા પાસે જેટલું સોનું નથી એટલું આપણાં મંદિરો, ધર્મસ્થાનકો અને આપણા રિક્ષાવાળા અને ઘરકામ કરવાવાળીઓ પાસે છે. મારે ત્યાં કામ કરતી હેમા બોરીચા નામની બહેન કહે છે કે દરેક હરિજન કે ઝૂંપડાવાળા કે ગરીબના ગરીબને ઘરે બેથી ત્રણ તોલા સોનું હશે જ. ચરોતર પાટીદાર કોમનાં આગેવાન અને મુંબઈના પૂર્વ શેરીફ અને ઉદ્યોગપતિ ડો. મોહન પટેલ કહે છે કે અમારા પટેલને ઘરે દીકરી અવતરે એટલે યુવાન બાપ કે ભાઈ, કેન્યા કે આફ્રિકાની સ્ટીમર પકડતો અને બહેન કે દીકરીનાં લગ્ન માટે બહેન-દીકરીને સોનાનાં ઘરેણાંથી લાદી દઈને વટ પાડવાનો પ્રયાસ કરતો.

સોનું આજે મોભાનું પ્રતીક અને મધ્યમ કે ગરીબ વર્ગ માટે સંકટ સમયની સાંકળ બન્યું છે. માત્ર ભારતમાં જ નહીં દરેક દેશમાં બહેન-દીકરીને સૌથી મોટા લાડ સોનાનાં ઘરેણાંથી કરાય છે. તુકીર્માં ગર્ભવતી પુત્રી સુવાવડ કરવા પિયરમાં આવે ત્યારે જ ગર્ભવતી બહેન-દીકરીને કાંડે સોનાની બ્રેસલેટ પહેરાવાય છે. ઘણા મુસ્લિમ દેશોમાં અને ઈરાનમાં દીકરી અવતરે એટલે બાપ તેને માટે ઈયરિંગ, નેકલેસ, બ્રેસલેટ કે સોનાની કંઈ પણ ચીજ ખરીદે છે અને દીકરો અવતરે ત્યારે લાકડાની ચીજ ખરીદાતી મહીસુર રાજ્યના બ્રાહ્મણો ધનિક હતા તે દીકરાને જનોઈ પહેરાવે તે વૈભવ બતાવવા સોનાની જનોઈ પહેરાવતા. ભાભીઓ 'સોનીડા’ને તેડાવવાનાં ગીત ગાતી: 'માંડવડે કાઈ ઢાળોને બાજોઠી, ફરતી મેલોને કંકાવટી,આજ મારે લખવી છે કંકોતરી,તેડાવોને કાંઈ ગોંડળ ગામના સોની કે આજે મારે ઘડાવવી છ,નણંદ બાની સોનાની નથડી...’ આપણી સરકાર ભલે સોનાના સરકારી સ્ટોકમાં કંગાળ હોય પણ ભારતની પાસે ચારેકોરે મંદિરો-મસ્જિદો, ગુરુદ્વારા સ્વામિનારાયણ કે તમામ પંથોનાં દેવળો-મંદિરો કે વ્યક્તિગત જે સોનું પડયું છે તે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે અને તેનું રોલિંગ થયા કરે.

યુવાનિયા તમે બડાઈ મારી શકો કે મારો દેશ સૌથી ખાનગીમાં સમૃદ્ધ છે. સોનાનો લેખ લખું ત્યારે મારા ઝાંઝમેર ગામના વતન પાસે માત્ર ત્રણ ગાઉ દૂર બગડ નદીને કાંઠે દાઠામાં ત્રિભુવન ભીમજીનું ઘર આવેલુ અને મને જૂનો મરડો થતાં દાઠાના દવાખાને ૧૯૪૭મા દવા કરાવવા ગયો ત્યાં ભીમજી દાદાને ઘરે રહેલો. એ ભીમજી દાદા મારી દાદીને સોનાનું ઘરેણું ઘરે બેસીને ઘડી દેતા. એ પછી ભીમજી દાદાનો દીકરો ત્રિભુવનદાસ મુંબઈ આવ્યા અને ત્રિભુવનદાસ ભીમજીની દુકાન કરી ત્યારે સવાસોથી વધુ વર્ષ પહેલાં આ પેઢીની દુકાન ઉપર મુંબઈમાં પ૦ ટકા સોની કારીગરો નભતા. અમેરિકન સરકાર પહેલેથી પ-૪-૧૯૩૩થી લુચ્ચી છે. પ્રમુખ રૂઝવેલ્ટે ઢોંગ ક્ર્યો કે સોનું યુઝલેસ છે માત્ર શ્રમિક-લેબર જ સંપત્તિ-વેલ્થ પેદા કરે છે. સોનું તો તમને ભ્રમમાં નાખે છે.

પમી માર્ચ ૧૯૩૩ના રૂઝવેલ્ટે હુકમ કરીને જે ખાનગી સોનું રાખે તેનો તે વખતના ૧૦૦૦૦ ડોલર દંડ કરાતો (આજના ૧.૬૭ લાખ ડોલર) અગર ૧૦ વર્ષની કેદ કેલિફોર્નિ‌યાના નેવાડા સ્ટેટના વોલ્ટર સામાઝકો નામના અમેરિકનના વોશિંગ મશીનમાંથી રૂ. ૪૬૨ કરોડના સોનાના સિક્કા, ઘરેણા, બંગડી વગેરે સંઘરીને મરી ગયેલો, તેમ 'બિઝનેસવીક’ ૧૦.૨.૨૦૧૩માં લેખ છે આ માણસ ૭૦ લાખ ડોલરના અમેરિકન સિક્કા, ઓસ્ટ્રીયન ચલણ (ડુકાટ), દ. આફ્રિકાના સોનેરી કુગરેન્ડઝ અને કેટલાક ભારતીય રૂપિયા હતા. ખરેખર ૪પ વર્ષમાં સોના વિશે લખી લખીને મને આફરો ચઢયો છે. મારા ચાર પુસ્તકો સોના વિશે એપ્રિલની શરૂમાં આવશે. સોનાનો હવે ઘણો મેડિસિનલ ઉપયોગ થાય છે. જગતમાં ૮.પ ટ્રિલિયન ડોલર સોનું કુલ્લે છે, તેમાંથી ૧૦ ટકા ઔષધના ઉપયોગમાં અને ખાસ તો આયુર્વેદમાં વપરાય છે.

ક્લીઓપેટ્રા સારી ઉંઘ આવે તે માટે તેમજ ચામડી ગોરી થાય તે માટે ચાદરમાં સોનું વાપરતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનાં ડો. રિચાર્ડ હોલીડે લંડનના ડેઈલી મેઈલમાં લખે છે કે બની શકે ત્યાં સુધી સ્ત્રીઓએ ગળામાં અને કાંડામાં સોનું પહેરવું જ. પુરુષોએ સોનાની ઘડિયાળનો પટ્ટો કે બન્ને આંગળામાં ૨૪ કેરટની સોનાની વીંટી પહેરવી. હાર્ટ ડીઝીઝ માટેના પેસમેકરમાં સોનું હોય છે. રૂયુમેટોઈડ આર્થરાઈટસની સર્જિકલ ટ્રીટમેન્ટમાં તેમજ હવે કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ સોનું વપરાય છે. જાપાનમાં કેથીંરીન ડેનઝીએ સોનામાંથી બ્યુટી ટ્રીટમેન્ટની દવા બનાવી છે.

ઠંડા પ્રદેશમાં વિમાનમાં લઈ જાય તેના વીન્ડશીલ્ડમાં સોનાને કવર અપાય છે. તેથી કાચ ફાટી ન જાય. આજે પણ યુરોપમાં ઘણા ધનિકો તેનો વૈભવ બતાવવા અમુક મીઠાઈઓ અને ખાદ્યોમા સોનાના ફ્લેક્સ (ફુલ) વાપરે છે. જર્મનીમાં હર્બલ વોટર (ઔષધિય) પાણી વેચાય છે. તે પાણી ૧૦૦૦ ડોલરનું એક બોટલ ભરીને વેચાય છે, તે ધનિકોની કોકટેલ પાર્ટીમાં મોંઘું પાણી (સોનાવાળુ) વાપરીને વૈભવ બતાવાય છે. અરે મારા વાલીડાઓ વૈભવ બતાવવો હોય તો સોનેરી દિલ રાખોને
Source: http://www.divyabhaskar.co.in/news-srh/ABH-article-of-kanti-bhatt-4539130-NOR.html

KANTI BHATT ABOUT GOLD IN DIVYA BHASKAR -સોનામાં ચાંદી

'ગોડ’ અને 'ગોલ્ડ’માં 'એલ’ અક્ષર જ આડો છે
સોનામાં ચાંદી: સોનાને ચમકતું રાખનારા ધરતીના બે છોરુ છે, એક સ્ત્રી અને બીજો ખેડૂત
 
જર્મન કવિ જોહાનીસ ગુટનબર્ગ જેણે આધુનિક પ્રિન્ટિંગની કળા ૧૪૦૦ની સાલમાં વિકસાવી તે સોનાનો પણ જબરો શોખીન અને સંગ્રાહક હતો. તેણે કવિતા લખી છે તેનો સીધો ગુજરાતી ભાવાનુવાદ કરું છું 'ઓ મારા વહાલમજી તું આ મોંઘાદાટ ફૂલ ભેટમાં લાવ્યો પણ મારો આત્મા તો તારા પ્રેમથી સુગંધીત છે. જો ભૌતિક ચીજ ભેટ આપવી હોય તો તું સોનાનુ કોઈ ઘેરણું લાવ્યો હોત ગોડ અને ગોલ્ડના સ્પેલીંગમાં ગોલ્ડ માત્ર એક જ અક્ષર વચ્ચે આડો છે.’
 
આજે ગોલ્ડન એઈજ, ગોલ્ડન હાર્ટ, ગોલ્ડન રૂલ વગેરે શબ્દો વપરાય છે. સોનાના વિષયને આજે લીધો છે એટલા માટે કે હમણા મોરારીબાપુના સાંસ્કૃતિક પર્વને બહાને ગામડામાં ફરી આવ્યો. ત્યાં મેઘરાજાની મહેર છે. ધરતી લીલી કંજાર છે. પાક પાણી સારા થશે ખેડૂતોના ચહેરા ઉજળા છે. સોનાને ચમકતું રાખનારા ધરતીના બે છોરૂ છે, એક સ્ત્રી અને બીજો ખેડૂત. તમે મુંબઈના પરામાં જાઓ ત્યાં દરેક પરામાં બબ્બે ત્રણ-ત્રણ સોનાની (ઝવેરી) દુકાનો ખુલી ગઈ છે. જે સોની સીધો ચાલ્યો છે તે સોની કે ઝવેરી બે પાંદડે થયો છે.
 
મિત્ર જયેશ સોની કાઠીયાવાડથી પંદર વર્ષ પહેલાં આવ્યો ત્યારે 'લગભગ’ પહેરેલે કપડે આવ્યો. તેના પિતા મારા મિત્ર હતા. તે દુબઈમાં રાજકોટના સોની હરીભાઈને ત્યાં કામ કરતા. મને શારજાહનું ક્રિકેટ જોવા સ્ટેડીયમમાં મુકી જતા. એ ઓળખાણે જયેશ મારો મિત્ર થયો. પણ લોહીમાં સોનું અને કારીગરી હતા. ખુબ મહેનત પછી તેણે સોનાના ઘેરણા મિત્રો વતી બીજા પાસે ઘડાવી ઘડાવીને મદદ કરી પોતે સોનાનાં ઘરેણાનો ઝવેરી બન્યો. આજે તેનું ઘરેણાનું કારખાનું દહિ‌સરમાં ધમધમે છે. ૧૩ કારીગરોને રોજી આપે છે. જયેશ કહે છે કે સગવડે સોનું ખરીદો તેની સલાહ મિત્રોને કામ લાગી છે. જેણે સોનું ખરીદ્યું તેના ભાવ ૧૨-૧પ વર્ષમાં બમણા થયા છે. અરે સોનાના રાજસ્થાની વેપારીની જ વાત કરો. ગયા વર્ષે જૂન ૨૦૧૩માં આ વેપારી-પૃથ્વીરાજ કોઠારી જે રિદ્ધિ સિદ્ધિ બુલિયન્સની પેઢીથી મુંબઈમાં જબરજસ્ત સોના-ઝવેરાતનો ધંધો કરે છે તેને ત્યાં ઈન્કમટેક્સના વ્યાપક દરોડા પડેલા. એ દરોડા દેખાવના હતા કે 'કડદા’ માટે હતા કે રીયલ હતા તેની પંચાતમાં નહીં પડીએ.
 
ભારત જેવો સવા અબજનો દેશ અને ૩૦ કરોડનું બુદ્ધિબળ અને ૧૧૦૦ જેટલા બીલીયોનેર છે તે દેશ શું કામ દુબઈ-શારજાહનાં સોનાનાં બે નંબરીયા બજારને ધમધમાવે છે? નરેન્દ્ર મોદી, રિ. બેન્કના ગર્વનર રઘુરામ રાજન અને ઝવેરી બજારના પ્રતિષ્ઠીત ગોલ્ડના ડીલર્સ વગેરેની મંડળી મળીને વિચારણા કરે કે શું કામ અમુક નામના બંધન સાથે ભારત જ સોનું ખરીદીને રાખી મુકવાનું સસ્તુ અને સલામત કેન્દ્ર ન બને? પાકિસ્તાની પણ તેનું સોનું ભારતમાં રાખી શકે. ભારતને સોનાની ખરીદ-વેચાણનું મુક્ત કેન્દ્ર બનાવો.પણ એ આડી વાત થઈ. સોના સાથે પત્રકાર તરીકે મારે જૂના સમયથી નાતો છે. હું એક વખત દુબઈ ગયો ત્યારે હરીભાઈ સોનીની દુકાને ગયો ત્યારે દાઉદ ઈબ્રાહિ‌મની પત્ની પણ ત્યાં ઘરેણા ખરીદવા આવી હતી. સોનાનો લગાવ તેને કેમ ન હોય?
 
મુંબઈનાં પૃથ્વીરાજ કોઠારીની વાત કરીએ અને તેને ત્યાં પણ 'દરોડા’ પડયા તે વાતને ભૂલી જઈએ તો પૃથ્વીરાજ કોઠારીને તો સોનું અઢળક દુઝયુ છે. હજી માત્ર ૧૯૯૭-૯૮માં તે નાના વેપારીમાંથી આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ બુલીયન ડીલર બન્યા છે. તેમણે પોતાની બ્રાંન્ડ ઊભી કરી છે અને સોનાના રોજીંદા રીટેલ વેપારમાં તે આધુનિક કમ્યુનિકેશનની મદદથી મશીન દ્વારા ૧ તોલાથી ૧ કિલો સુધીનું સોનું વેચે છે અને આજે મુંબઈમાં પાયધુની, મસ્જિદબદર રોડ, શેખમેમણ સ્ટ્રીટ, તાંબા કાઢાના સરનામેથી સુરત, અમદાવાદ, રાજકોટ, ઈંદ્રોર, પુણે, કોલકતા, ત્રિસુરે, હૈદરાબાદ, ચિન્નઈ, કોઝીકોડ, વિઝાગાપટ્ટનમ અને વિજયવાડાથી ક્યાં ક્યાં પહોંચ્યા છે. તેની કંપનીના બેનંબરી હવાલા ટ્રાન્ઝેકશન જ ઈન્કમટેક્સના કહેવા પ્રમાણે વર્ષે રૂ. ૨પ૦૦૦ કરોડનાં હતા હતા?
 
ઓનલાઈન બિઝનેસની આધુનિક પદ્ધતિથી નાનામાં નાના ખરીદનારની સોનાની ભૂખ ભાંગે છે. તમે ઓનલાઈન ખાતુ ખોલાવીને ૧ ગ્રામ જેટલું ઓછામાં ઓછું સોનું બટન દબાવીને ખરીદી શકો છો. હવે ચાંદી પણ મળે છે. અરે સોનું-ચાંદી તમારે ઘરે ડિલિવરી કરી જાય છે. પત્રકારો તો કેટલાક પૃથ્વીરાજ કોઠારીને ત્યાં દરોડા પડયા ત્યારે પોતાના દરોડાનું પાનુ પકાવવા ગયા તેને નાસ્તાપાણી કરાવીને કહ્યું કે 'અરે ભાઈ આ તો રૂટીન ચેકીંગ હતું. દરોડા જેવુ કંઈ હતું નહીં’ બોલ કનૈયાલાલ કી જય જે કંપનીનો વાર્ષિ‌ક ટર્નઓવર રૂ. ૨૨૯૦૦ કરોડે પહોંચ્યા હોય એ થોડા મૂરખ છે કે તેના 'ચોપડા’ દરોડા માટે ઢીલા રાખે? તેનું તમામ કામ જડબેસલાક છે. નહીંતર કેમ ૧૦ વર્ષમાં આસમાનને આંબે? ઉપરાંત બુલીયન ડીલર્સ એસોસિયેશને તેને છેક ૨૦૦૯માં ફોગટ 'બેસ્ટ બુલીયન’ ડીલર્સનો એર્વોડ આપે?
 
તમારે અંગતરીતે તમારી નાની-મોટી બચતને ઠેકાણે પાડનારા કે કાયદેસર ઈન્વેસ્ટ કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટંટ હશે જ. નીતીન ગાંધી નામના ઈન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે તે કાયદેસર તમારી બચતને પ્યોર કાનૂની સાધનોમાં ઈન્વેસ્ટ કરી આપે છે. હવે તો સરકારે પણ આ રાજસ્થાની કંપનીને એક્ષપોર્ટ પ્રોમોશન કાઉન્સીલમાં લીધા છે. દશેરા-દીવાળી આવશે ત્યારે વરસાદ-પાણી સારા છે એટલે ચારેકોરથીસોના, ઝવેરાત, ચાંદીની ખરીદી થશે અને હવે આ કીંમતી ધાતુઓ જેમાં પ્લેટીનમ પણ આવે છે તેની ઓનલાઈન ખરીદી-વેચાણ થશે અને બ્રાન્ડેડ સોના સિક્કા મળશે.સાધારણ રીતે ભારતમા તહેવારો દરમિયાન પંદરેક ટન સોનું કે સિક્કા વેચાય જ છે.
 
દિવાળી પતી જાય પછી થોડા વખતમાં લાડલી બહેન, દીકરી, નણંદ કે ભોજાઈના ઘરે લગ્નનાં મંગળ ગીત ગવાશે. અમારા ઝાંઝમેર ગામમાં દીકરીના લગ્ન લેવાના હોય તે પહેલા ગામના સોનીને ખાસ યાદ કરાતો. ભાવનગરના દરબાર ભાવસિંહજી બાપુ અને પછી તેમના પ્રજાવત્સલ યુવરાજ કૃષ્ણકુમારસિંહજી ગોહીલ રાજા થયા. તેણે રાજ ક્ર્યું તે દરમિયાન ભાવનગર સ્ટેટમા લગભગ દરેક ગામડે એક સોની, એક મોચી, એક લુહાર, બે-ત્રણ દરજી અને અરધોડઝન વીશા વણિક-જૈનની દુકાનો હોય જ તેવી ગોઠવણ કરેલી.
 
અમારા ૮૦૦ માણસની વસતિના ગામમા ગોવિંદજી સોની હતા તે રાત્રે ગામના ચોકીદાર હતા અને દિવસના ઘરમાં નાનકડી ભઠ્ઠી ઉપર અડાયા છાણાંની અિગ્નમાં (થોડી કોલસી) સોનું ઓગાળીને ઘરેણા ઘડતા. ગામનો સોની પાંચમાં સારા અવસરે 'પરથમ’ સોની યાદ કરાતો.આવું ગીત મેં જૂના ગ્રામીણ ગીતમાં થોડા સુધારો કરીને રચેલુ:

માંડવડે રે કાંઈ ઢાળોને બાજોઠી કે ફરતી મેલોને કંકાવટી તેડાવોરે કાંઈ આશાપુરાનો જોષી કે, આજ મારે લખવી છે કંકોત્રી અને તેડાવો રે કોઈ રાજકોટ ગામના સોની કે, ઘડાવવી છે મારે નણંદ બાની બંગડી, નથડી ને ઝાંઝરીયું
 
કાન્તિ ભટ્ટ
Source:http://www.divyabhaskar.co.in/news/ABH-l-character-is-remain-in-god-and-gold-4735518-NOR.html

06 September 2014

HISTORY OF OLD AHMEDABAD- gujarat samachar- અમદાવાદનું ઝવેરીબજાર

ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ઇ. સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના થયા બાદ ઈરાન અને અરબસ્તાનથી અનેક સૂફીસંતો અમદાવાદ આવ્યા હતા અને વસવાટ કર્યો હતો................................................
 બીજી તરફ એ પણ એક હકીકત છે કે અમદાવાદની સ્થાપના થતાં જ જૈન વેપારીઓ, મહાજનો અને નગરશેઠો આર્થિક જાહોજલાલી અને અહિંસાનાં મૂલ્યોનાં પ્રવાહકો તરીકે વિકસ્યા હતા. ..........................................
અમદાવાદની પોળોમાં રસ ધરાવનારે તે ખરેખર જોવા જેવી છે. ઘણી સ્વચ્છ અને સુઘડ છે. લોકો મળતાવડા છે. તેમાં અનેક પોળો ખડકીઓ અને ખાંચાઓ જોવા મળે છે. નામો પણ મસ્ત છે.........................................
માણેકચોકમાં આવેલા સુલતાન અહમદશાહની કબરની નજીક શાંતિદાસ ઝવેરીની ત્રણ દુકાનો ઉપરનાં મજલા સહીત હતી. તેમનો ફ્રેન્ચ મિત્ર ટેવર્નીચર પણ ઝવેરી હતો. થેવેનો, ટેવર્નીચર અને ઑબીંગ્ટન જેવા ફ્રેન્ચ અને અંગ્રેજ મુસાફરો લખી ગયા છે કે ''દુનિયાની એક પણ ચીજ એવી નથી જે અમદાવાદનાં બજારમાં ઉપલબ્ધ ના હોય.'' શાંતિદાસની દુકાનોમાં અનેક કારકૂનો, મુનીમો અને આંગડીયાઓ કામ કરતા. ઝવેરાત ઉપરાંત તેમનો શરાફીનો ધંધો પણ ધમધોકાર ચાલતો હતો..................................................................
વલંદાની હવેલી (ગાંધી રોડ પર આવેલી બેંકની બાજુમાં જયાં ડચ લોકોની વખાર હતી તે આજે 'વલંદાની કોઠી' તરીકે ઓળખાય છે)

શાંતિદાસ દેશવિદેશમાં માલ મોકલીને અઢળક દ્રવ્ય કમાતા હતા. મુઘલ બાદશાહ ઉપર તેમનો પ્રભાવ હતો
જહાંગીરનાં સમયમાં સમગ્ર મુઘલ-હિંદમાં ''આર્થિક રાષ્ટ્રવાદ''ની ભાવનાની વાત કરનાર જો કોઈ હોય તો તે ઝવેરીવાડમાં રહેતો અમદાવાદનો આ વિશ્વપ્રસિદ્ધ વેપારી હતો !!  ....................................................
હિંદનાં રાજા-મહારાજાઓ રોયલ ઝવેલરી માર્ટ પાસેથી માલ ખરીદતા
ઝવેરીવાડની ''ઝીંદા તસ્વીર'' તો મૂળચંદ આશારામ ઝવેરી (૧૮૮૪-૧૯૫૧) અને તેમનાં કુટુંબીજનોનાં યશસ્વી કાર્યો દ્વારા પ્રગટ થાય છે. ધોળકામાં જન્મેલા મૂળચંદભાઈએ મુંબઈમાં ઝવેરાતની તાલિમ લીધી અને ત્યાર બાદ અમદાવાદનાં ઝવેરીવાડમાં સ્થાયી થયા. તેમણે ૧૯૦૬માં ભીખાભાઈ નામનાં વેપારીની પાર્ટનરશીપમાં ગાંધીરોડ પર 'રાજનગર જવેલરી માર્ટ'ની સ્થાપના કરી. પણ ત્યાર બાદ ભીખાભાઈનું અવસાન થતાં મૂળચંદભાઈએ ૧૯૧૨માં ''રોયલ જવેલરી માર્ટ''ની સ્થાપના કરી. તેમાં તેઓ ખૂબ કમાયા. પેરીસ, એન્ટવર્પ, લંડન, એડન, બગદાદ, ફલોટેન્સ, બર્લિન અને ન્યૂયોર્ક સાથેનાં એમનાં વ્યાપારી સંપર્કો, મધ્યકાલીન શાંતિદાસ ઝવેરીની યાદ અપાવી જાય તે કક્ષાનાં હતાં. જેવી રીતે હિંદનાં રાજામહારાજાઓ અને નવાબો ''રોયલ ઝવેલરી માર્ટ'' બ્રાન્ડ સાંભળીને તેમની પાસેથી માલ ખરીદતા. ભારતનાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૃ અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ જ્વેલરી માર્ટમાં તૈયાર થયેલા કાસ્કેટ સ્વિકાર્યા હતા......... 


ઝવેરીવાડ ઇલાકો એટલે અમદાવાદનું ઝાકમઝોળ ઝવેરાત

સેંકડો વર્ષોથી જેવી રીતે ખાડિયા ચકલો અમદાવાદની રાજકીય ધોરી નસની જેમ વિકસ્યો છે તેવી રીતે ઝવેરીવાડ આર્થિક નાડીની જેમ ધબકતો રહ્યો છે. તેની ઉપર જૈન આધ્યાત્મિક મૂલ્યો અને વ્યવહારલક્ષી વ્યાપારી કૌશલ્યોની અસર છે. અહમદશાહ બાદશાહે ૧૪૧૧માં અમદાવાદ વસાવ્યું અને ત્યારબાદ સુલતાન મહંમદ બેગડાનાં શાસનકાળ (૧૪૫૯-૧૫૧૧) દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાંથી ઝવેરીઓએ અમદાવાદમાં સ્થળાંતર કર્યું.
આજથી ૫૦૦ વર્ષ પહેલાં જૈનો જે વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાયી થયા તે 'ઝવેરીવાડ' તરીકે મશહૂર બન્યો. તે સમયે ''ગાંધીરોડ'' નહોતો ! તેથી ઝવેરીવાડ 'ઈલાકો' અમદાવાદનાં મુખ્ય બજાર માણેકચોક તરફ પડતો. ત્યાં સંખ્યાબંધ દુકાનો હતી. ફરસાણ અને મીઠાઈની દુકાનો પણ ઘણી ઉપલબ્ધ છે.
ઝવેરીવાડમાં રહેતા ઝવેરીઓ કાપડિયાઓ, રૃ અને મશરૃના મહાજનો, સુતરીયાઓ, આંગડીયાઓ, દલાલો અને અન્ય જૈન વેપારીઓના રક્ષણ માટે આજે જે જગા 'રતનપોળ' તરીકે ઓળખાય છે ત્યાં વિશાળ કદનો લાકડાનો તોતીંગ દરવાજો હતો. રાતની અવરજવર માટે નાનો દરવાજો કાઢવામાં આવ્યો હતો. એક પોળમાંથી બીજી પોળમાં જવા માટે રસ્તાની અંદર બીજો રસ્તો  જતો હતો. તેમજ રાતે કોટવાલનાં ચોકીદારો 'જાગતે રહો'ના નારા સાથે રોજ ફરતા. આવો ચિત્રાત્મક હતો મધ્યકાલિન ઝવેરીવાડ...........................

આપણે અખાજીને 'ભગત' બનાવી દીધા તેથી વાસ્તવિક અખો ભૂલાઇ ગયો !
 અખો રહિયાદાસ સોની (૧૬૦૦-૧૬૬૬) દેસાઇની પોળમાં રહેતો હતો. બીજી એક વંશાવળી મુજબ અખાનાં પિતાનું નામ કહાનદાસ હતું. અખાને કોઇ સંતાન નહોતું. તેથી તેનાં ભાઇ ગંગારામ અથવા તો અન્નુમાંથી અખાનો વંશવેલો ચાલી આવ્યો છે.
અખો મૂળ અમદાવાદ પાસેનાં જેતલપુરનો રહેવાસી હતો પણ અમદાવાદમાં વિકસતી જતી આર્થિક તકોનો લાભ લેવા તે અમદાવાદ આવ્યો અને દેસાઇની પોળમાં રહ્યો. અકબરનાં સમયથી અમદાવાદ નગર વેપાર ઉદ્યોગથી ધમધમતું હતું. અહીં ઝવેરીવાડમાં શાંતિદાસ ઝવેરી જેવા પ્રખ્યાત ઝવેરીઓ અને વેપારીઓ રહેતા હતા. માણેકચોક વિસ્તાર વેપારનાં કેન્દ્રરૃપ હતો. તેની સમીપમાં અંગ્રેજો અને ડચ લોકોની વખારો હતી જેને 'કોઠી' કહેતા. કાળુપુર વિસ્તારમાં જહાંગીરે ભવ્ય ટંકશાળ બાંધી હતી જે આજે પણ ંટંકશાળની પોળ તરીકે ઓળખાય છે. તેમાં મહેમુદી, રૃપિયો તેમજ સોનાચાંદીનાં સિક્કા પડતા. આવા વેપારઉદ્યોગથી થનગનતા અમદાવાદમાં અખાએ સ્થળાંતર કર્યું હતું. તે બતાવે છે કે અખો મહત્વાકાંક્ષી, વ્યવહારૃ અને કાર્યકુશળ હતો. જો તેમ ના હોત તો જેતલપુરથી સ્થળાંતર કરીને આવેલો અખો અમદાવાદની ''મુઘલ મીન્ટ'' (ટંકશાળ)નો ઉપરી  (સ્ૈહા-સ્ચજાીિ) કેવી રીતે બની શક્યો હોત? અખાને માણેકચોક અને ઝવેરીવાડ જેવા સમૃધ્ધ વિસ્તારો સાથે અને શાંતિદાસ ઝવેરી જેવા વેપારીઓ સાથે સંબંધ હોય જ. પણ આપણે તો 'અખાજી'ને 'ભગત' બનાવી દીધા. તેથી ખરો, વાસ્તવિક અખો ભૂલાઇ ગયો! 

અખો ખાડિયામાં આવેલી દેસાઇની પોળમાં રહેતો હતો. સર ચીનુભાઇ બેરોનેટનાં ડેલા પાસે આવેલા કુવાવાળા ખાંચામાં આવેલા એક ખંડને આજે પણ લોકો અખાનાં ઓરડા તરીકે ઓળખે છે. અખાના વંશજો સમીપમાં રહે છે.  

 જો કે કમનસીબે અત્યાર સુધી અખાને 'ભગત' તરીકે ચીતરવામાં આવ્યો છે. તેને માત્ર ભાષા અને ગુજરાતી સાહિત્યનાં સંદર્ભમાં જ મૂલવવામાં આવ્યો છે. ખરેખર તો અખો કોઇ ''શ્રધ્ધાળુ ભગત'' નહીં પણ તે 'લોજીક' અને 'રીઝન'નો માણસ હતો. અખો અસાધારણ બુધ્ધિ ધરાવતો ીસૅૈિૈબૈજા હતો. તે તેનાં સમયનાં યુરોપનાં માનવતાવાદી તત્વચિંતક રેને ડેકાર્ટની (૧૫૯૬-૧૬૫૦) જેમ જ્ઞાાનને અનુભવ તથા તર્કની ચાળણીમાં ચાળીને વ્યક્તિ, સમાજ, વિશ્વ અને બ્રહ્માંડને જોનાર વીરલ બૌધ્ધિક હતો. અખાએ શાસ્ત્રવીધીઓ, જ્ઞાાતિબંધન અને ધર્મગુરૃઓનાં પાખંડો સામે જે તેજાબી ચાબખા માર્યા તેનો સાર એ જ છે કે અખો દ્રઢપણે માનતો હતો કે ઃ ''જે બાબત નૈતિક દ્રષ્ટિએ ખોટી હોય તે ધાર્મિક કે સામાજિક દ્રષ્ટિએ કદી પણ સાચી હોઇ ના શકે.'' તેથી જેનાં ખરાખોટાપણાની સાબીતી પૂરવાર થઇ ના શકે તેવા શાસ્ત્રોનાં વિધાનો કે બ્રાહ્મણોનાં કથનો ઉપર જો વિશ્વાસ મુકશો તો જીવનમાં પસ્તાશો.
અખો ઉચ્ચ જ્ઞાાતિનો નાગર કે વાણીયા નહીં પણ સોની હતો. તેણે સ્થિતીચૂસ્ત જ્ઞાાતિપ્રથા સામે તીખા ચાબખા માર્યા છે.
અખો ''માનવતાવાદી બંડખોર'' હતો અને તેની પાછળ તેણે વિકસાવેલી ''આનુભવીક - રીઝન''ની વિચારસરણી હતી.
અખાનાં વંશજો આજે દેસાઇની પોળમાં રહે છે. હેમન્તભાઇનાં દાદા અમરપ્રસાદ સોનીની દુકાન રતનપોળના નાકે હતી. તેનાં પિતા જગદીશભાઇની સોનીની દુકાન ટંકશાળની પોળમાં હતી, જ્યાં જોગાનુજોગ ત્રણસો વર્ષ પહેલાં ખુદ અખો ''મીન્ટ માસ્ટર'' હતો............................

છેલ્લાં ૬૦૦ વર્ષથી અમદાવાદ નગર ચાલ્યું આવ્યું છે. જેમ જેમ તેની ઉંમર વધતી જાય છે તેમ તેમ તે યુવાન થતું જાય છે. અમદાવાદમાં આવેલી પોળો, શેરીઓ, ગલીઓ, મહોલ્લાઓ, ખડકીયો અને ખાંચાઓ આ નગરનાં બહુમુખી વ્યક્તિત્વનાં પાયારૃપ છે. દરેક પોળને તેનું વ્યક્તિત્વ છે, તેનો સાંસ્કૃતિક ઈતિહાસ છે.
 Source:http://gujaratsamachar.com/index.php/special_page/index/special_53